E-Paper
પાળીયાદ મહાજન પાંજરાપોળ ને રૂ.175000 હજાર નો ગુરુકૃપા ફાઉન્ડેશન ટીમ અમદાવાદ તરફથી સહયોગ

પાળીયાદ મહાજન પાંજરાપોળ ને રૂ.175000 હજાર નો ગુરુકૃપા ફાઉન્ડેશન ટીમ અમદાવાદ તરફથી સહયોગ
આજરોજ ગુરુકૃપા ફાઉન્ડેશન ટીમ અમદાવાદ નાં શ્રી ગૌરાંગભાઈ તેમજ સેવાભાવી સદ્સ્યો દ્વારા પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ ની મુલાકાત લઈ પાંજરાપોળ નાં અબોલ પશુઓને ઔષધિ યુક્ત લડવા તથા લીલી તેમજ સુકી જુવાર નું ભોજન કરાવામાં આવેલ ગુરુકૃપા ફાઉન્ડેશન દ્વારા ₹.1,00,000/ઘાસચારા માટે ₹.43,000/ઔષધિ યુક્ત લાડુના ₹.32,000/સુકી જુવાર માટે ₹.1,75,000/કુલ રકમ નો સહયોગ પાળિયાદ મહાજન પાંજરાપોળ ને અર્પણ કરવામાં આવેલ છે શ્રી પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ નાં ટ્રસ્ટીગણ તેમજ સેવાભાવી સદ્સ્યો ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ નાં શ્રીમાન ગૌરાંગભાઈ તથા સેવાદક્ષ ટીમ નો હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે. જીવદયા નો જય હો.
અહેવાલ કનુભાઈ ખાચર




