E-Paper
રાજ્યસ્તરીય ચિંતન શિબિર–2025 દરમિયાન મોરબી જિલ્લાના પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી તરીકે સેવા આપનાર માન. શ્રી જે.એસ. પ્રજાપતિ સાહેબ (મા. કલેક્ટર, વાવ–થરાદ) ને રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારી તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે.
ચિંતન શિબિર 2025માં વાવ–થરાદના ગૌરવમાં વધારો
રાજ્યસ્તરીય ચિંતન શિબિર–2025 દરમિયાન મોરબી જિલ્લાના પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી તરીકે સેવા આપનાર માન. શ્રી જે.એસ. પ્રજાપતિ સાહેબ (મા. કલેક્ટર, વાવ–થરાદ) ને રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારી તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે.
આ પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રજાપતિ સાહેબના ઉત્તમ વહીવટ, વિકાસ કાર્યોની અસરકારક અમલવારી અને જાહેર સેવા પ્રત્યેની સમર્પિત દૃષ્ટિનો સ્વીકાર છે. રાજ્ય સ્તરે મળેલ આ માનથી વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી ઉદ્ભવી છે.
સ્થાનિક નાગરિકો અને અધિકારીઓ દ્વારા સાહેબને બહુ બહુ અભિનંદન પાઠવવામાં આવ્યા છે તથા ભવિષ્યમાં વધુ ઉતરોતર પ્રગતિ માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે.




