E-Paper

મુંબઈ: ધારાવીમાં રેલવે ટ્રેક નજીક આગ લાગતાં હાર્બર લાઈન ખોરવાઈ, બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેનો રોકવી પડી

મુંબઈ: ધારાવીમાં રેલવે ટ્રેક નજીક આગ લાગતાં હાર્બર લાઈન ખોરવાઈ, બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેનો રોકવી પડી

મુંબઈ:

મુંબઈના ધારાવી વિસ્તારમાં આજે બપોરે હાર્બર લાઈનના રેલવે ટ્રેકની નજીક અચાનક ભીષણ આગ ફાટી નીકળતા લોકલ ટ્રેન સેવા પર અસર પડી હતી. રેલવે પ્રશાસને તકેદારીના ભાગરૂપે થોડા સમય માટે ટ્રેન વ્યવહાર અટકાવી દીધો હતો.

સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઓફિસર (CPRO) સ્વપ્નિલ ધનરાજ નીલાએ ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, “આજે બપોરે ૧૨:૩૦ વાગ્યાના અરસામાં રેલવે સત્તાધીશોને આગની જાણ થઈ હતી. આ આગ બાંદ્રા અને માહિમ સ્ટેશન વચ્ચેના ટ્રેકથી માત્ર ૨૦ મીટરના અંતરે લાગી હતી.”

આગ ટ્રેકની ખૂબ નજીક હોવાથી મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંને ટ્રેક પરનું પરિચાલન તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવ્યું હતું. જોકે, ફાયર બ્રિગેડ અને તંત્રના પ્રયાસો બાદ સ્થિતિ કાબૂમાં આવતા બપોરે ૨:૦૦ વાગ્યાની આસપાસ ટ્રેન સેવા ફરી શરૂ કરવામાં આવી હતી. હાલમાં સલામતીના કારણોસર અસરગ્રસ્ત વિસ્તારમાં ટ્રેનોને કલાકના ૪૫ કિલોમીટરની મર્યાદિત ઝડપે દોડાવવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!