E-Paper

રામ-રહીમ ફાઉન્ડેશન દ્વારા આવતી કાલે ચોટીલામાં રાહતદરે ૨૦,૦૦૦ ફુલસ્કેપ ચોપડાનું વિતરણ

રામ-રહીમ ફાઉન્ડેશન દ્વારા આવતી કાલે ચોટીલામાં રાહતદરે ૨૦,૦૦૦ ફુલસ્કેપ ચોપડાનું વિતરણદા.તાઓના સહયોગથી પડતર કિંમત કરતા પણ સસ્તા ભાવે જમ્બો ફુલસ્કેપ ચોપડા મળશે.ચોટીલા પંથકમાં છેલ્લા ૨૦ વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવુતિઓ કરતી સંસ્થા રામ-રહીમ ફાઉન્ડેશન દ્વારા શાળા અને હાઇસ્કુલમાં ભણતા વિદ્યાથીઓને મદદરૂપ થવાના શુભ હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨૦,૦૦૦ ફૂલ સ્કેપ ચોપડાનું દાતાઓના સહયોગથી રાહતભાવે વિતરણ કરવામાં આવશે. ૧૫૦ પેઝના એક દમ સફેદ પેઝ વાળા જમ્બો ફુલસ્કેપ ચોપડામાં અંદરના પેઝ પર જે જે દાતાઓએ સહયોગ આપેલ છે તેમની જાહેરાત છાપવામાં આવી છે. આ ચોપડામાં વિદ્યાથીઓમાં દેશભક્તિની ભાવમાં આવે તે હેતુથી આગળના ટાઇટલ પેઝ પર દિલ્હી સ્થિત ઈન્ડિયા ગેટ અને પાછળના પેઝ પર મુંબઈ સ્થિત ગેટ ઓફ ઇન્ડિયાના ફોટા છાપેલ છે અને અંદર માં પેઝ પર છાપેલ જાહેરાતના કારણે આ ચોપડા પડતર કિંમત કરતા પણ સસ્તા ભાવે વિદ્યાર્થીઓને આપવામાં આવશે. માર્કેટમાં ૪૦ થી ૬૦ રૂપિયામાં વહેચાતા ફુલસ્કેપ ચોપડા સંસ્થા દ્વારા ફ્કત ૩૦ રૂપિયામાં એટલે કે ૧૨ ચોપડાનો બાંધો ફ્કત ૩૫૦ રૂપિયામાં આપવામાં આવશે. આવતી કાલે તા. ૦૪-૦૫-૨૦૨૫ ને રવિવારના રોજ સવારે ૦૯:૦૦ વાગ્યાથી સ્ટોક હશે ત્યાં સુધી ચોપડાનું વિતરણ ચોટીલાના ચામુંડા રોડ પર ડો. ત્રિવેદી સાહેબના દવાખાના સામે આવેલ રામ-રહીમ ફાઉન્ડેશન કાર્યાલય ખાતે કરવામાં આવશે.

આ તકે લાભાર્થીઓને ખાસ વિનંતી છે કે આપ જ્યારે ચોપડા લેવા આવો ત્યારે ચોપડા ભરવા માટે કાપડની થેલી સાથે લાવો તે જરૂરી છે. આ બાબતે વધુ માહિતી માટે સંસ્થાના પ્રમુખ મોહસીનખાન પઠાણ મો. ૯૨૨૮૪ ૩૨૫૬૦ અને ઉપ પ્રમુખ મેહુલભાઈ ખંધાર મો. ૯૦૯૯૬ ૫૨૧૫૨ નો સંપર્ક કરી શકો છો.

 

એહવાલ મુનાફ કલાડીયા ચોટીલા સુરેન્દ્રનગર 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!