E-Paper
ગાંધીધામમાં બંધારણના ઘડવૈયાને અનોખી શ્રદ્ધાંજલિ: નવનિર્મિત બ્રિજનું નામકરણ અને પ્રતિમા અનાવરણ

ગાંધીધામમાં બંધારણના ઘડવૈયાને અનોખી શ્રદ્ધાંજલિ: નવનિર્મિત બ્રિજનું નામકરણ અને પ્રતિમા અનાવરણ
આજે ગાંધીધામ ખાતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી હતી. શહેરના વ્યસ્ત ગણાતા ટાગોર રોડ પર તૈયાર થયેલા નવા ફ્લાયઓવર બ્રિજનું ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર બ્રિજ’ તરીકે નામકરણ કરી તેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ સાથે જ ઓસ્લો સર્કલ ખાતે ડૉ. આંબેડકરની પ્રતિમાનું પુનઃસ્થાપન કરી અનાવરણ કરવામાં આવ્યું હતું. સાંસદ વિનોદ ચાવડા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.




