E-Paper
વાવ–થરાદ: ઢીમા ગામથી કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો પ્રારંભ
વાવ–થરાદ વિસ્તારના ધરણીધર માં આજ રોજ કોંગ્રેસ પક્ષ દ્વારા જન સમર્થન સાથે જન આક્રોશ યાત્રાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઢીમા ગામથી શરૂ થયેલી આ યાત્રામાં સ્થાનિક લોકો, આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
રેલી દરમિયાન વિરોધનો માહોલ તીવ્ર બન્યો હતો અને “સભાખંડ દેવા માફ નહિ તો ભાજપ સાફ” જેવા તેજસ્વી નારાઓ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આ યાત્રા દ્વારા કોંગ્રેસ કાર્યકરો લોકહિતના પ્રશ્નો, સ્થાનિક મુદ્દાઓ અને સરકાર વિરુદ્ધના આક્રોશને જોરશોરથી રજૂ કરી રહ્યા છે.




