વિહળધામ પાળીયાદ ખાતે રમેશભાઈ મેરજા સાહેબ સચિવશ્રી પવિત્ર યાત્રાધામ (ગુજરાત રાજ્ય) શ્રી રાઘવેન્દ્ર સરકાર તેમજ ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શને

વિહળધામ પાળીયાદ ખાતે રમેશભાઈ મેરજા સાહેબ સચિવશ્રી પવિત્ર યાત્રાધામ (ગુજરાત રાજ્ય) શ્રી રાઘવેન્દ્ર સરકાર તેમજ ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શને
આજ રોજ સૌરાષ્ટ્ર ની જગ વિખ્યાત દેહાણ પરંપરા ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર તેમજ ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શન માટે શ્રી રમેશભાઈ મેરજા સાહેબ સચિવશ્રી પવિત્ર યાત્રાધામ (ગુજરાત રાજ્ય) તથા વિંછીયા ગામ ના મામલતદારશ્રી બારોટ સાહેબ આવેલ હતા. જગ્યા ના મહંત પ. પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ ના આશીર્વાદ લઈ અને જગ્યા ના સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુ સાથે શુભેરછા મુલાકાત બાદ પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ના જન્મ સ્થળ ના ઓરડા તેમજ જગ્યા ની શ્રી બણકલ ગૌશાળા અને અશ્વશાળા, વીંટેજકાર ક્લેક્શન સહિત કૈલાસ બંગલો ની મુલાકાત લીધેલ હતી અને જગ્યા ની ચોખ્ખાઈ તેમજ વ્યવસ્થા જોઈ ખૂબ પ્રભાવિત અને રાજીપો વ્યક્ત કરેલ..
અહેવાલ કનુભાઈ ખાચર