ચોટીલા કલેક્ટર એસ ડી મકવાણા હે દ્વારા આકસ્મિક તપાસ

.સુરેન્દ્રનગર નાં આજ તારીખ : ૨૪/૦૫/૨૦૨૫ ન રોજ બપોર ના ૦૧/૦૦ કલાક ની અરસામાં નાયબ કલેકટર ચોટીલા એચ.ટી.મકવાણા અને તેમની ટીમ દ્વારા મુળી તાલુકા ના આસુન્દ્રાળી ગામ ના સરકારી સર્વે નંબર ૨૪૬ વાળી જમીન માં આકસ્મીક તપાસ કરતા કુલ ૧૨ કૂવાઓ ઉપર ગેરકાયદેસર કાર્બોસેલ નું ખનન કરતા ઈસમો જોવા મળેલ જે અમોને જોતા નાસી ગયેલ. જે કુવાની આજુ બાજુ થી નીચે મુજબ ના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.
(૧) ૨૦૦ મેટ્રિક ટન ગેરકાયદેસર કાર્બોસેલ
(૨) ૭ બકેટ
(૩) ૮ ચરખી
(૪) ૧ બાઇક
મળી આશરે કુલ રૂપિયા ૧૩,૦૦,૦૦૦/– ( અંકે રૂપિયા તેર લાખ પૂરા ) નો મુદામાલ જપ્ત કરી , મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરેલ છે.
વધુમાં જે બાઈક જપ્ત કરેલ છે તેના માલિક ની તપાસ કરી, ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા ઈસમો વિરુદ્ધ આગળ ની નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અહેવાલ: મુનાફ કલાડીયા ચોટીલા સુરેન્દ્રનગર