હાંસોટ તાલુકાના આસ્તા ગામે ભાથીજી મહારાજ નાં મંદિરે દસમાં પાટોત્સવ ની ઉજવણી મહંત શ્રી સીતારામ બાપુની ઉપસ્થિતિ માં ધામધૂમ થી ઉત્સાહ પૂર્વક કરવામાં આવી….

હાંસોટ તાલુકાના આસ્તા ગામે ભાથીજી મહારાજ નાં મંદિરે દસમાં પાટોત્સવ ની ઉજવણી મહંત શ્રી સીતારામ બાપુની ઉપસ્થિતિ માં ધામધૂમ થી ઉત્સાહ પૂર્વક કરવામાં આવી
હાંસોટ તાલુકાના આસ્તા નગરને આંગણે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજનું ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ થયું છે. આ નિર્માણ થયેલ મંદિરમાં શ્રી ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ, શ્રી બાબા રામદેવ પીર, શ્રી મહાકાળી માતાજી, આઈ શ્રી ખીડીયાર માતાજી, શ્રી ગણેશજી મહારાજ, નાગદેવ તથા કાળ ભૈરવ ની મનોહર સ્વરૂપની મૂર્તિ આવેલ છે જેમાં ગામના ભાવિક ભક્તો દ્વારા દરરોજ સવાર સાંજ પૂજા – આરતી નિયમિત થાય છે. ગત રોજ દસમો વાર્ષિક પાટોત્સવ હોય મહંત શ્રી સીતારામ બાપુની ઉપસ્થિતિ માં શોભા યાત્રા કાઢી ધામધૂમથી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ગામના ભાવિક ભક્તો દ્વારા પૂજા અર્ચના કરી પધારેલ મહંત શ્રી સીતારામ બાપુ ને નમસ્કાર કરી આશીર્વાદ મેળવ્યા હતાં હવન અને મહાપ્રસાદી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો રાત્રી દરમ્યાન સંતવાણી તથા લોક ડાયરા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ નિમિતે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં
અહેવાલ :ગફુરભાઈ ખલીફા ભરૂચ