E-Paper

લોકોમાં રોષ: ફતેપુરામાં ભૂગર્ભ ગટરની ખુલ્લી ચેમ્બરો મોતના ખાડા સમાન

લોકોમાં રોષ: ફતેપુરામાં ભૂગર્ભ ગટરની ખુલ્લી ચેમ્બરો મોતના ખાડા સમાન• ચેમ્બર પર ઢાંકણો ન બેસાડાતાં લોકોમાં રોષ : માર્ગ અકસ્માતની પણ ભીતિ : પાટવેલ, વડવાસ રોડ પર સમસ્યા.ફતેપુરામાં ભૂગર્ભ ગટર યોજનાની ખુલ્લી ચેમ્બરોથી અકસ્માતનો ભય ફેલાયો છે. વર્ષો પહેલાં લોકોના ઘરોના પાણીના નિકાલ માટે શરૂ કરવામાં આવેલી આ યોજના હવે જોખમી સાબિત થઈ રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે શરૂ થયેલી આ યોજના શરૂઆતમાં

સફળ રહી હતી, પરંતુ છેલ્લાં બે વર્ષથી મેન્ટેનન્સના અભાવે પાણીનો નિકાલ અટકી ગયો છે. પરિણામે, લોકોના ઘરનું ગંદુ પાણી ચેમ્બરોમાંથી ઉભરાઈને રસ્તાઓ પર વહી રહ્યું છે.ફતેપુરામાં જ્યાં જુઓ ત્યાં ગંદુ પાણી રસ્તાઓ પર રેલાયા છે. બીજી તરફ, અનેક જગ્યાઓ પર ભૂગર્ભગટર યોજનાની ચેમ્બરોના ઢાંકણો ગાયબ થ યા છે.ખાસ કરીને પાટવેલ રોડ અને વડવાસ રોડ પરની ચેમ્બરો ખુલ્લી હોવાથી અકસ્માતનો ભય વધી જતા બાળકો કે વૃદ્ધોને પડી જવાનો ખતરો છે.સ્થાનિક લોકોએ સરકાર અને તંત્રને તાત્કાલિક ધોરણે ખુલ્લી ચેમ્બરો પર ઢાંકણો લગાવવાની માંગ કરી છે. જો આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે, તો કોઈ મોટી દુર્ઘટના બનવાની શક્યતા છે.બેરિકેડ મુકી ચેમ્બરને સુરક્ષિત કરવામાં આવી પાટવેલ અને વડવાસ રોડને જોડતા સર્કલ પર ભુગર્ભગટર યોજનાની ત્રણ ચેમ્બરો પર ઢાંકણો નથી.અનેક રજૂઆતો કરી છે તેમ છતાં કોઈ સાંભળતું નથી.નજીકમાં તેરગોળા શાળા આવેલી છે. શાળાના બાળકો પણ અહીંયા અવરજવર કરતા હોય છે.અકસ્માતનો ડર સતાવી રહ્યો છે. ગટર યોજનામાં15 થી 20 ફૂટ ઊંડો ખાડો છે. કોઈ વિદ્યાર્થી કે વ્યક્તિ પડી ન જાય તે માટે તાત્કાલિક ધોરણે પોલીસના બેરીકેટ મૂકીને ચેમ્બરને સુરક્ષિત કરાઇ છે.> કલ્પેશભાઈ કાળુભાઈ બરજોડ, સ્થાનિક દુકાનદાર

અહેવાલ :રાજકુમાર પરિહાર દાહોદ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!