E-Paper
પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટને 10,000 દસ હજાર મણ લીલા ઘાસચારા નું દાન …

પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટને 10,000 દસ હજાર મણ લીલા ઘાસચારા નું દાન .આજરોજ પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ નાં અબોલ પશુઓ પ્રત્યે અવાર નવાર કરુણા દર્શાવતા સમઢિયાળા નિવાસી હાલ સુરત નિવાસી વલ્લભભાઈ વાનાણી નાં સહયોગથી ફરી એક વખત પશુઓ પ્રત્યે કરુણા દર્શાવી આજ રોજ પાળિયાદ મહાજન પાંજરાપોળની મુલાકાત લઈ10,000/દસ હજાર મણ લીલી જુવાર તેમજ મકાઈ અબોલ પશુઓના ઘાસચારા માટે અર્પણ કરેલ છે. શ્રી પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટ નાં ટ્રસ્ટીઓ તેમજ સેવાભાવી ટીમ જીવદયા પ્રેમી વલ્લભભાઈ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરી જીવદયા નાં સુકૃત કાર્યની ખૂબ ખૂબ અનુમોદના વ્યક્ત કરે છે. એમ કનુભાઈ ખાચર ની યાદી જણાવે છે
અહેવાલ કનુભાઈ ખાચર બોટાદ