E-Paper
સુરત કતારગામ ખાતે મહિલા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચેતનાબેનના માતુશ્રીની શ્રધ્ધાજંલી નિમિત્તે વિધવા બેહનોને સાડી વિતરણ કરવામાં આવ્યું

સુરત કતારગામ ખાતે મહિલા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચેતનાબેનના માતુશ્રીની શ્રધ્ધાજંલી નિમિત્તે વિધવા બેહનોને સાડી વિતરણ કરવામાં આવ્યું.આ કાર્યક્રમ દરમિયાન સુરત વોર્ડ નંબર-8 ના ઉપપ્રમુખ પરેશભાઈ વઘાસીયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા સાથે મિનાબેન આંબલીયા , મનિષભાઈ ગોસ્વામી, જયેશભાઈ , જયદિપભાઈ પટેલ , નારાયણભાઈ હાજર રહ્યા હતા ચેતનાબેન દ્વારા ખૂબ જ સરસ આયોજન રાખવામા આવ્યુ જેમા ગંગાસ્વરૂપા બેહનોને સાડી વિતરણ કરવામાં આવી. પરેશભાઈ વઘાસીયા દ્વારા ચેતનાબેન ગોસ્વામી ને વિધવા બેહનોને સાડી વિતરણ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન આપ્યા અને પરેશભાઈએ ભવિષ્યમા પણ આવા સારા કાર્ય કરતા રહો એવી શુભકામનાઓ પાઠવી.
અને આ સાથે પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો તેમાં જે મૃત્યુ પામ્યા તે આત્મા ને શાંતી મળે તે માટે ધુન કરવામા આવી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામા આવી.