મનરેગા: દાહોદમાં 2018-2023 સુધીમાં એક જ કામના ફોટો અપલોડ કરી 584 કામોના રૂ. 30 કરોડ ઉપાડી લીધા

અહેવાલ : રાજકુમાર પરિહાર દાહોદ
મનરેગા: દાહોદમાં 2018-2023 સુધીમાં એક જ કામના ફોટો અપલોડ કરી 584 કામોના રૂ. 30 કરોડ ઉપાડી લીધાશ્રમિકોને સ્થાનિક રોજગારી આપવાની યોજના પણ કૌભાંડીઓ માટે દલા તરવાડીની વાડીસરકારી ચોપડે કામ બોલે છે પણ વાસ્તવમાં ન તો કોઇને રોજગારી મળી ન તો કોઇને કામઆદિવાસી બાહુલ્ય ધરાવતાં દાહોદ જિલ્લામાં શ્રમીકોને ઘર આંગણે રોજગારી મળી રહે તે માટેમનરેગા હેઠળ 100 દિવસ કામ આપવાની સરકારી યોજના કૌભાંડીઓ માટે દલાતરવાડીની વાડી બની ગઇ છે. સરકારે આ યોજનામાં ગેરરિતી અટકાવવા માટે કામ શરૂ થયા ત્યાંથી પુર્ણ થાય ત્યા સુધીના ફોટા પણ ફરજિયાત અપલોડ કરવા માટે એપ બનાવી છે. પણ કૌભાંડીઓએ તેનો પણ ઉકેલ લાવીને એક જ કામના ફોટા અવાર નવાર ઉપયોગ કરીને જિલ્લાના 584 કામોના રૂપિયા 30 કરોડ સરકારી તિજોરીમાંથી ઉલેચી લીધા છે. એટલુ જ નહીં પણ આ 584 કામો માત્ર સરકારી ચોપડે જ બોલે છે અને તેમાં ન તો કોઇને રોજગારી મળી ન તો કોઇ કામ થયા પણ સરકારી ખાતામાંથી નાણા ઉપડી ગયા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
દાહોદ જિલ્લામાં કેટલાક ભેજાબાજો દ્વારા વર્ષ 2018થી મનરેગા યોજનામાં કૌભાંડ કરવામાં જોતરાયેલા હોવાનું સામે આવ્યુ છે.મનરેગા યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ લોકોને રોજગારી પૂરી પાડવાનો અને ગ્રામીણ માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવાનો છે. દાહોદ જિલ્લામાં જમીનની 7-12ની નકલમાં ક્યાંક 10 તો ક્યાંક 25થી વધુ નામો હોય છે. ત્યારે આ સર્વે નંબરોમાં સમાવિષ્ટ કુટુંબના સભ્યોના નામે એકને એક કામ વારંવાર લેવામાં આવે છે. સર્વે નંબર એ જ રહે છે માત્ર નામ જ બદલાઇ જાય છે.
કોઇ જગ્યાએ ચાર વ્યકિ્તના નામે એક જ કામ લીધુ હોય તો એક કામ વ્યવસિ્થત કરાય છે અને સાચા
કરેલા કામના કોટો જ એપ્લીકેશનમાં અપલોડ કરીને ગરીબોના હકના પૈસા દલાલો, કર્મચારીઓ અને અધિકારીઓના ગજવામાં જતાં રહ્યા છે. આ સાથે લોકોની જાણ બહાર પણ તેમના નામે કામ લઇને અન્ય સર્વે નંબરમાં ચેકડેમ,બોર સહિતના કામો ખડકી દેવામાં આવ્યા હતાં. કેટલીક જગ્યાએ તો પાણીનો સ્ત્રોત ના હોય ત્યાં ચેકડેમ બનાવી દેવામાં આવ્યા છે. જિલ્લાના વિવિધ ગામોમાં 548 કામો કાગળ ઉપર જ કરીને 30 કરોડ રૂપિયાથી વધુનો સરકારને ચૂનો ચોપડી પોતાની તીજોરીઓ ભરી નાખી છે. હદ તો ત્યાં થાય છે કે, કેટલીક જગ્યાએ એક જ ખેતરમાં બે વર્ષના અંતરમાં બે ચેકડેમ બનાવેલા બતાવાયા છે. આ સાથે ત્રીજા વર્ષે આ ચેકડેમ ઉંડા કરવાનું પણ કામ લેવાયુ છે. એક સર્વે નંબરમાં જુદા-જુદા ખાતેદારોના નામનો ઉપયોગ કરીને 548 કામો પૈકી વનીકરણ અને જમીન લેવલિંગ 90%, કેટલશેડના 30%, કુવા અને ચેકડેમના 20% કામ જેમાં જુનાકુવાના સમારકામની ક્યાંક ફોર્મલિટી તો ક્યાંક કાગળ ઉપર જ બતાવીને કૌભાંડ કરી નાખ્યુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. અમારા સર્વે નંબરમાં કોઇ ચેકડેમ બન્યો જ નથી
-રૂપાભાઇ બારિયા, અંધારી અમારા સર્વે નંબરમાં ચેકડેમ બન્યો હોવાનું યાદીમાં છે. પણ ખરેખર ક્યારેય કોઇ ચેકડેમ બન્યો જ નથી. અમારા નામે પૈસા ઉપડ્યા હોવાનું જાણવા મળ્યું છે.
અંધારી ગામમાં રૂપા બારિયાના સર્વે નંબરમાં ચેકડેમ બન્યો જ નથી પરંતુ તેના નામે બિલ બની ગયું હતું.
બીજાની જમીનમાં ચેકડેમ બનાવી મારુ નામ લખી દીધુ -કાન્તાબેન સંગાડા,અંધારી મારા ઘર નજીક બીજાની જગ્યામાં ચેકડેમ બનાવ્યો હતો. મારુ નામ કઇ રીતે લખાય તેની મેં તપાસ કરી પણ કશું જાણવા મળ્યું નહીં.
અન્ય સર્વે નંબરમાં ચેકડેમ બનાવીને કાન્તાબેન
સંગાડાના નામનું પાટિય મારી દેવાય હતું. બિલ પણ
બની ગયુ હતું.
કયા-કયા કામોમાં કૌભાંડ
{ જમીન લેવલિંગ { ચેકડેમ
{ કૂવા { કૂવા સમારકામ
{ સંરક્ષણ દિવાલ { કેટલશેડ
{ બાગાયત માટે જમીન
તૈયાર કરવી
કેવી રીતે કૌભાંડ કરવામાં આવે છે?
યો જનામાં પારદરિ્શતા માટે જીયો ટેગીંગ રાખવામાં આવ્યુ છે. જેમાં ભુવન નામની એપ્લીકેશનમાં પ્રારંભથી માંડીને પૂર્ણ થાય ત્યાં સુધીના કામના ફોટો અપલોડ કરવાના હોય છે. પ્રથમ વખત ફોટો લીધા બાદ કામ 30 ટકા પૂર્ણ થાય ત્યારે, બીજી વખત તે જગ્યાનો જ ફોટો લેવો પડે છે. જો બીજી જગ્યાએથી ફોટો લેવાનો પ્રયાસ કરાય તો એપ્લીકેશન ઓપન જ થતી ન હોવાની ખાસિયત છે. પણ કૌભાંડીઓએ તેનો પણ તોડ કાઢીને મંજુર કરેલા કામની જગ્યાનો પહેલો તો ફોટો લેવાય છે. પરંતુ કામ જ કર્યુ ન હોવાથી બીજો ફોટો લેવા માટે તેઓ જે જગ્યાએ કામ થયુ હોય ત્યાના હાઇરિઝ્યુલેશન વાળા મોબાઇલમાં જ્યાં 30 ટકા કામ પૂર્ણ થયુ હોય તે સ્થળનો ફોટો લઇ લે છે. ત્યાર બાદ કૌભાંડ કરવાનું છે એટલે કે જ્યા કામ થયુ નથી તે સ્થળે આવીને પોતાના મોબાઇલમાં ભુવન એપ્લીકેશન ઓપન કરીને બીજા મોબાઇલમાં લીધેલા કામના ફોટાનો સીફતપૂર્વક ફોટો લઇને એપ્લીકેશનમાં અપલોડ કરી નાખે છે. કામ પૂર્ણ થયાનો ફોટો પણ આવી જ રીતે લેવાતો હોય છે. ભુવન એપ્લીકેશનમાં કામ પૂર્ણ થયુ હોવાનું બતાવી દેતાં તમામ પેમેન્ટ થઇ જાય છે.