બાડોદરા ઝીંગા તળાવ બાબતે નાયબ કલેકટરે ગેરકાયદેસર બાંધકામ દુર કરવાનો હૂકમ કર્યો.. જ્યારે હાંસોટ સર્કલ ઓફિસરે છેલ્લા સાત મહિનાથી હજુ તપાસ કરી રીપોર્ટ કર્યો નથી… ગોલમાલ હે ભાઈ સબ ગોલમાલ હે..

હાંસોટ તાલુકાના બાડોદરા માં સરકારી જમીન માં છેલ્લા ઘણાં વર્ષો થી ઝીંગા તળાવ ની ફાળવણી કરવામાં આવેલ છે અને તેમાં તેઓ મોટા પ્રમાણમાં ઝીંગા ઉછેર નો ધંધો કરી રહ્યા છે તેઓએ તળાવ ની બાજુમાં એક માળ નું મકાન કોઈપણ જાતની પંચાયત ની પરવાનગી અથવા જમીન માં હેતુ ફેર ની પરવાનગી વગર બાંધકામ કરવામાં આવેલ છે. આ બાબતે આર. ટી. આઈ કરવામાં આવેલ જેને પગલે નાયબ કલેકટરે તપાસ કરતાં તેઓને આમાં ક્ષતિ દેખાતાં આ ગેરકાયદેસર બાંધકામ ને સ્વ ખર્ચે દૂર કરવાનો હૂકમ કરેલ હતો જે તારીખ ૭/૧૦ /૨૨ ના રોજ કરેલ હતો અને હાંસોટ મામલતદાર ને આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની જવાબદારી સોંપી હતી આજે ૩૦ મહીના પછી પણ નાયબ કલેકટર ના હૂકમ નું પાલન થયેલ નથી કેમ..? ફરીથી આ અંગે આર. ટી. આઈ કરાતાં હાંસોટ મામલતદારે તપાસ સર્કલ ઓફિસર ને સોંપી છે તેમ જણાવેલ જે તપાસ ને પણ સાત મહીના થવા છતાં હજુ સુઘી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આમ કેમ…? દર ચોમાસામાં આજ તળાવ ને લઈને ગામમાંથી પાણી નો નિકાલ બંધ થઈ જાઈ છે અને બે મહીના પછી ચોમાસા નો પ્રારંભ થશે એટલે ફરી બાડોદરા ગામમાં પાણી ભરાશે તે નક્કી છે. પણ આ તળાવ ના પહોંચ વાળા માલિક કોઈથી ડરતાં નથી કોઈ અધિકારી મારૂ કંઈ બગાડી નહી શકે તેવી શેખી ગામના લોકો સમક્ષ મારે છે… જોઈએ હવે નાયબ કલેકટર ના હૂકમ નું પાલન થાય છે કે પછી સેટીંગ….
અહેવાલ : ગફુરભાઇ ખલીફા ભરૂચ