E-Paper

મુકેશભાઇ રાજપરા દ્વારા આવેદનપત્ર પત્ર આપવા માં આવ્યું

જસદણ વિછીયામાં હાલ ઉનાળુ પાક જેવા કે ચણા અને રાયડો, વગેરેનું જસદણ અને વિંછીયા વિસ્તારના ખેડૂતોએ સરકારશ્રીની જાહેરાત મુજબ અસંખ્ય ખેડૂતોએ ટેકાના ભાવે ચણા અને રાયડો વેચવા માટે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે પરતું આજ દિન સુધી ખેડૂતોના પાકનું ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલ નથી અને ખેડૂતો બજારમાં ડાયરેકટ માલ વેચવાથી છેતરાય છે જેમ કે હાલ સરકારની જાહેરાત મુજબ ચણાના ટેકાના ભાવ રૂા.૧૧૩૦ ભાવ નકકી કરવામાં આવેલ છે અને રાયડાનો ભાવ રૂા.૧૧૯૦ સરકારશ્રી દ્રારા નકકી કરવામાં આવેલ છે પરતું બજારમાં માત્ર રૂા.૧૦૦૦ જેવા ભાવથી ચણા અને રાયડાની ખરદી કરી ખેડૂતોને બેફામ લુટવામાં આવે છે તો આપ સાહેબ શ્રીને લેખીતમાં અરજ છેકે તાત્કાલીક વિંછીયા અને જસદણ બન્ને સેન્ટરમાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવે એવી ખેડૂત સેવા સંગઠન-ગુજરાત ની માંગ છે બીજુ હાલ સરકારશ્રી દ્રારા જસદણ અને વિંછીયાના અનેક ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરેલ છે અને એ રજીસ્ટ્રેશન સેટેલાઈટ દ્રારા સર્વે કરી અનેક નામ રદ કરવામાં આવેલ છે એવા અનેક ખેડૂતોને મેસેજ આવેલ છે જો સરકાર સેટેલાઈટથી સર્વે કરી પાકનું નિરક્ષણ કરી શકતું હોય તો પછી અતિવૃષ્ટી કે અનાવૃષ્ટી વખતે થયેલા પાક નુકસાની કેમ? સરકારને સેટેલાઈટથી બતાતુ નથી પાક નુકસાનીનું વળતર ચુકવવામાં ઠાગાહૈયા કરે છે તો આ રીતે ખેડૂતો સાથે અન્યાય કેમ અમારી એકજ માંગ છે કે ગુજરાતના કોય ખેડૂત સાથે અન્યાય ન થાય અને તમામને ન્યાય મળે તો જસદણ અને વિંછીયા વિસ્તારના તમામ ખેડૂતોએ કરેલ ચણા અને રાયડાના પાકનું રજીસ્ટ્રેશન કરેલ છે તો યુધ્ધના ધોરણે બન્ને સેન્ટર માં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવે એવી અમારી માંગ

અહેવાલ : રાજપરા મુકેશભાઇ રાજકોટ 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!