E-Paper
હાંસોટ યોગી વિદ્યા મંદિર ખાતે 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી

હાંસોટ યોગી વિદ્યા મંદિર ખાતે 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી હાંસોટ મામલતદાર ના વરદ હસ્તે ધ્વજવંદન કરી આન બાન અને શાન થી પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી હતી.
આપણા દેશના સ્વાતંત્ર્ય સેનાની અને શહીદો કે જેમણે પોતાની જાનની પરવા કર્યા વિના તન, મન અને ધન સમર્પિત કરી અંગ્રેજો ની ગુલામી થી ભારતીયો ને મુક્ત કરી આઝાદી અપાવી ભારતીય લોકોના હાથમાં સત્તા સોપી ત્યાર થી આજ ના દિવસ ૨૬ મી જાન્યુઆરી ને પ્રજાસત્તાક દિન તરીકે પુરા ભારત વર્ષે માં પ્રજાસત્તાક દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે તે નિમિત્તે આજરોજ હાંસોટ યોગી વિદ્યા મંદિર ખાતે નાં
- પટાંગણ માં તાલુકા કક્ષા નાં પ્રજાસત્તાક દિન ની હાંસોટ મામલતદાર રાજન વસાવા નાં વરદ હસ્તે 77 માં પ્રજાસત્તાક દીન ની ધ્વજવંદન કરી આન, બાન અને શાન થી ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા કૃતિ રજુ કરી મંત્ર મુગ્ધ કરી દીધા હતાં ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાથોને પ્રોત્સાહિત ઇનામો આપ્યા હતાં તથા શાળાના આચાર્ય ઓ ને પ્રમાણપત્રો આપી નવજવામાં આવ્યા હતાં.દરમ્યાન વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો




