E-Paper
મધ્ય વિયેતનામમાં મેઘતાંડવ: પૂર અને ભૂસ્ખલનમાં ૯૦ લોકોના મોત, ખેતીને વ્યાપક નુકસાન

મધ્ય વિયેતનામમાં મેઘતાંડવ: પૂર અને ભૂસ્ખલનમાં ૯૦ લોકોના મોત, ખેતીને વ્યાપક નુકસાન
મધ્ય વિયેતનામમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. મળતી માહિતી મુજબ, અહીં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને ૯૦ પર પહોંચી ગઈ છે, જ્યારે ૧૨ લોકો હજુ પણ લાપતા હોવાના અહેવાલ છે. મુશળધાર વરસાદને કારણે ૧,૧૫૪ જેટલા મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ કુદરતી આફતની સૌથી માઠી અસર ખેડૂતો પર પડી છે, જેમાં ૮૦,૮૦૦ હેક્ટરથી વધુ જમીનમાં તૈયાર પાક નાશ પામ્યો છે.




