શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ..સામાન્ય કાર્યકર થી રાજ્યના મંત્રી સુધીની પ્રેરણાદાયક સફર
શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ..સામાન્ય કાર્યકર થી રાજ્યના મંત્રી સુધીની પ્રેરણાદાયક સફર
સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા યુવાન નેતા —
રાજકારણ વારસામાં નથી મળ્યું, પણ સમાજસેવા અને લોકસેવા થી પોતાનું સ્થાન બનાવ્યું.
વાવ વિધાનસભાની પ્રથમ ચૂંટણીમાં પરિણામ ન મળ્યું,
પણ લોકોના હ્રદયમાં સ્થાન જરૂર મળ્યું
વ્યસનમુક્તિ ઝુંબેશ ચલાવનાર, અને યુવાનો માટે પ્રેરણા બનનાર નેતા —
શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સાથ,
શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનું માર્ગદર્શન,
અને ઠાકોર સેનાના વડા શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબનો રહબરી માર્ગ —
એમને નવી ઉંચાઈએ લઈ ગયો
યુવાન ચહેરો, આંખોમાં સેવા કરવાની ઝંખના,
અને પ્રજાપ્રેમ —
એ જ ગુણોએ એમને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ગુડ બુકમાં સ્થાન અપાવ્યું.
પરસેવાની શાહીથી લખાયેલા ઈરાદાઓ કદી કોરા નથી રહેતા —
આ વાતને સાકાર કરી બતાવી છે
શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબે.
આ છે ભારતીય જનતા પાર્ટીની વિશેષતા —
જે પ્રથમ વખત ચૂંટાયેલા પ્રતિનિધિને પણ રાજ્યના મંત્રી બનાવી શકે છે
આ માત્ર પદ નથી,
પરંતુ સેવા કરવાનો અવસર છે.
સલામ છે એવા જનનાયકને જે ખરેખર “લોકસેવા”ને રાજકારણ કરતાં મોટું માને છે.




