E-Paper
હાંસોટ ખાતે શ્રી કુળદેવી સિદ્ધેશ્વરી માતાના મંદિરે સાલગીરા નિમિતે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ચંડી યજ્ઞ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી..

હાંસોટ ખાતે શ્રી કુળદેવી સિદ્ધેશ્વરી માતાના મંદિરે સાલગીરા નિમિતે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ચંડી યજ્ઞ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતીહાં.સોટ સ્થિત કુંભારવાડ, દરૂ ખડકી આવેલ કુળદેવી સિદ્ધેશ્વરી માતાના મંદિરે નવમાં પાટોત્સવ ની ઉજ્વણી વાઘા કુટુંબ તથા હાંસોટ અને ભરૂચના કુટુંબીજનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ ચંડી યજ્ઞ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી આ પ્રસંગે પચ્ચીસ જેટલા કપલો એ યજ્ઞનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અને ભરૂચની મહિલા મંડળ દ્વારા ભજન કીર્તનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાષ્ટ્ર અને સમાજમાં સુખ સમરુધ્ધિ અને શાંતિ અને ભાઈચારા નો માહોલ સાથે સલામતી માટે પ્રાર્થના કરવામાં આવી હતી દરમ્યાન મહપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હાંસોટ ના અન્ય સમાજ ના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા..
અહેવાલ : ગફુરભાઇ ખલીફા ભરૂચ