પહેલગામ આતંકી હુમલાના વિરોધ માં ઝાલોદ જડબેસલાક બંધ

પહેલગામ આતંકી હુમલાના વિરોધ માં ઝાલોદ જડબેસલાક બંધબા.ઇક રેલી, આક્રોશ રેલી તથા ધરણા તથા પૂતળા દહન ના કાર્યક્રમો કરી વિરોધ નોંધાવ્યોમુ.સ્લિમ સમાજ દ્વારા પણ વિરોધ નોંધી અને આવેદનપત્ર આપવામાં આવ્યુંજમ્મુ કાશ્મીરના પહેલગામ માં આતંકી હુમલાના વિરોધ માં ઝાલોદ સનાતન સમાજ દ્વારા તારીખ ૨૫ મી એપ્રિલ ને શુક્રવાર ના રોજ ઝાલોદ બંધ નુ એલાન આપવામાં આવ્યું હતું. આજના બંધ ના એલાનને ઝાલોદ નગર દ્વારા પાળી અને જડબેસલાક બંધ રાખવામાં આવ્યું હતું. નગરના વેપારીઓ ધંધાર્થીઓ એ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી અને આતંકી હુમલા નો વીરોધ નોંધાવ્યો હતો
બંધ દરમ્યાન વિવિધ કાર્યક્રમો થકી આ હુમલામાં જીવ ગુમાવી ચૂકેલા લોકો ને શ્રદ્ધાંજલિ પાઠવવા માં આવી હતી.તેમજ આ હુમલા માં ઘાયલ થયેલા લોકો ના સ્વાસ્થ્ય ના સુધારા માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી. જેમાં, આજે શુક્રવાર ના રોજ આખા દિવસ માટે ઝાલોદ નગર બંધ રાખવામાં આવ્યું હતું. જેમાં નાના મોટા સૌ વેપારીઓ જોડાયા હતા. સવારે 10:30 કલાકે મુવાડા રામજી મંદિરે થી આખા નગર માં બાઇક રેલી કાઢવામાં આવી હતી. તેમજ ભરત ટાવર થી પગપાળા સાંજે 4 કલાકે આક્રોશ રેલી કાઢવામાં આવી હતી. જે બાદ સાંજે ભરત ટાવર ખાતે ધરણા પ્રદર્શન કરી શ્રદ્ધાંજલિ અને પુતળા દહન કરી અને પહેલગામ માં થયેલા આતંકી હુમલા નો ઝાલોદ નગરજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજ દ્વારા પણ આ આતંકી હુમલા નો વીરોધ કરવામાં આવ્યો હતો અને બંધ પાળી અને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
અહેવાલ : રાજકુમાર પરિહાર દાહોદ