E-Paper

ગુજરાતી સ્લેબસે ચોટીલાની ઝૂંપડપટ્ટીના બાળકોને ભોજન પીરસ્યું : બાળકો થયા ગદગદિત

રામ-રહીમ ફાઉન્ડેશન ચોટીલા સંચાલિત નિમિત્ત માત્ર સેવા અભિયાન દ્વારા ચોટીલાની અલગ અલગ છ ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારના નાના નાના બાળકોને અવાર નવાર નાસ્તો તેમજ ભોજન કરાવવામાં આવે છે. જે અંતર્ગત આજે સ્વ. કુંવરબેન રાજુભાઈ દેલવાડીયાની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભૂંગળા બટેકાનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે રામ-રહીમ ફાઉન્ડેશન ના પ્રમુખ મોહસીનખાન પઠાણના આમંત્રણને માન આપીને ગુજરાતના ખ્યાતનામ એક્ટર ભલા મોરી રામા સોંગથી ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીઝને એક નવી દિશા આપનાર અરવિંદ વેગડા, ભાવનગરના વતની અને અમદાવા રહેતા મનન દવે જેઓ ઈવેન્ટ અને પ્રોડક્શન મેનેજર છે તેમજ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાથે ઘરોબો ધરાવે છે અને સાથે અમદાવાદ જિલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલના સંયોજક રાકેશ પુજારા કે જેમને ૨૦૦ થી વધુ ગુજરાતી ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી છે તેઓએ પોતાના હાથે બાળકોને ભોજન પીરસ્યું હતું, બાળકો પણ તેમના ચહિતા કલાકારોના હાથે ભોજન જમીને ઉત્સાહથી ઝૂમી ઉઠ્યા હતા અને અરવિંદ વેગડા સાથે તેમનું પ્રખ્યાત ગીત “ભલા મોરી રામા” ગાઈને આનંદ કર્યો હતો.

 

અહેવાલ :મુનાફ કલાડીયા ચોટીલા સુરેન્દ્રનગર 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!