E-Paper

આજરોજ સોમનાથ ખાતે તારીખ 24 4 2025 ના રોજ સ્વ. ભાનુ માં મોહન ભાઈ કુહાડા નાં સ્મરણાર્થે શ્રી વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજ તથા સ્વં. મોહનભાઈ કાનજીભાઈ કુહાડા મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા શ્રી રામ કથા નું આયોજન કરવામાં આવેલ

આજરોજ સોમનાથ ખાતે તારીખ 24 4 2025 ના રોજ સ્વ. ભાનુ માં મોહન ભાઈ કુહાડા નાં સ્મરણાર્થે શ્રી વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજ તથા સ્વં. મોહનભાઈ કાનજીભાઈ કુહાડા મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા શ્રી રામ કથા નું આયોજન કરવામાં આવેલ છે તેમાં આજે સોમનાથ હમીરસિંહ સર્કલ પાસેથી રામકથા ની પોથી યાત્રા મા શ્રી અખિલ ગુજરાત માછીમારો મહામંડલના પ્રમુખ કિશોરભાઈ કુહાડા તથા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા દ્વારા શાસ્ત્રોકત પૂજા વિધિ દ્વારા અને પોથીયાત્રા પૂર્ણ થયા બાદ રાધેકૃષ્ણ મંદિર નાં વિધવાન કર્મકાંડી શાસ્ત્રી શ્રી મહેશભાઈ મહેતા દ્વારા સંચાલન સાથે સંગીત શૈલી સાથે રામ કથા નો શુભ પ્રારંભ કરવામાં આવેલ વ્યાસપીઠ પીઠ પર વક્તા શ્રી ખ્યાતનામ કથાકાર ભાગવતાચાર્ય શ્રી કાળભૈરવ પીઠાધીશ્વર મંદિર નાં મહંત શ્રી રમેશભાઈ શુકલ (પાલીતાણાવાળા) આ પોથી યાત્રા મા સમસ્ત ખારવા સમાજ તેમજ મોટી સંખ્યા મા હિંદુ સમાજ પ્રમુખ શ્રી ઓ તેમજ આગેવાનો તેમજ દરેક હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેલ જેમાં નિરાલી ખોડિયાર મંદિર ભાલકા ના મહામંડલેશ્વર મહંત શ્રી બજરંગદાસ બાપુ, રામેશ્વર એક્સપોર્ટના માલિક રામજીભાઈ પીઠડ, ધનસુખભાઈ પીઠડ, નિધિ સી ફૂડ્ એક્સપોર્ટના રાજેશભાઈ ગોહેલ, સી.કે.ભાઈ ગોહેલ, ચંદ્રશીલા એક્સપોર્ટર ના માલિક વિક્રમભાઈ સુયાણી, ચંદ્રેશ કુમાર સુયાણી, ચમ એક્સપોર્ટર રામભાઈ ચમ, પોરબંદર સમસ્ત ખારવા સમાચાર પૂર્વ પટેલ સુનિલભાઈ ગોહેલ, પોરબંદર બોટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ભરતભાઈ મોદી તથા પોરબંદર ખારવા સમાજના અગ્રણીઓ, વેરાવળ ભોઈ સમાજના પટેલ હરગોવિંદભાઈ વાજા, કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ, સોરઠીયા વાળંદ સમાજના પ્રમુખ મહેશભાઈ વાજા, વેરાવળ ઇન્ડિયન રયોન ના ઇ.આર ના જનરલ મેનેજર અનિરુદ્ધસિંહ ઠાકોર, સાહેબ, ઇ.આર ના મેનેજર પ્રિતેશ ગૌસ્વામી, મિર્ઝા, દરબાર સમાજના અગ્રણી રમજુભા ચાવડા, વિજય વાળા, વેરાવળ ખારવા સમાજના અધ્યક્ષ મોહનભાઈ આગિયા, ખારવા સમાજના ઉપ પટેલ બાબુભાઇ આગિયા, ગોપાલભાઈ ફોફંડી, મંત્રી નારણભાઈ બાંડિયા, તથા ખારવા સમાજના તમામ આગેવાન શ્રીઓ, તથા તમામ કુહાડા પરિવારના ભાઈઓ બહેનો તેમજ બોહરી સંખ્યામાં હિન્દુ સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અખબાર યાદી શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ પ્રકાશભાઈ માલમડી દ્વારા જણાવવામાં આવે છે

 

રીપોટર -તુલસીભાઇ એ ચાવડા ગીર સોમનાથ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!