હાંસોટ ના મોર વિભાગ ના ખેડૂતો ની નહેર ખાતા ને ચીમકી.. ૪૮ કલાક માં પાણી નહીં મળે તો આમરણાંત ઉપવાસ…

હાંસોટ ના મોર વિભાગ ના ખેડૂતો ની નહેર ખાતા ને ચીમકી.. ૪૮ કલાક માં પાણી નહીં મળે તો આમરણાંત ઉપવાસ…હાંસોટ તાલુકાના મોર વિભાગ ના ગામો સમલી – વમલેશ્ચર – જેતપોર અને કંટીયાજાલ કે જે ટેઈલ ના ગામો છે અને હાલ ઉનાળુ ભાત ની રોપણી હોય મોટા ભાગના ખેડૂતો ને પાણી ની જરૂરીયાત હોય છે. આ વિસ્ત નેને છેલ્લા ૭૬ દિવસથી પાણી મળેલ નથી. જેથી ડાંગર ઉપરાંત શેરડી તથા અન્ય પાકો સુકાવા લાગવાથી ખેડૂતો ને જો સમયસર પાણી નહી મળે તો પાક નિષ્ફળ જાય તેમ છે અને ખેતી માટે ખર્ચેલા નાંણાં પણ પાણી માં જ જાય તેવી ભીતી શેવાઈ રહી છે ત્યારે આ ચાર ગામના ખેડૂતો એ પોતાની પરિસ્થિતિ થી નહેર વિભાગ ના અધિકારીઓને વાકેફ કર્યા હતા અને ચીમકી પણ ઉચ્ચારી હતી કે આગામી ૪૮ કલાક માં જો અમારા ગામની નહેરમાં પાણી નહીં આવે તો અમે ચારેય ગામના ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેસવાના છે અને આ અંગે નું આવેદનપત્ર હાંસોટ ના નાયબ મામલતદાર ને આપ્યું હતું.
અહેવાલ : ગફુરભાઇ ખલીફા ભરૂચ